સમગ્ર દેશભરમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે જેમાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દરેક ભક્તો માટે આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક બની ગયું છે જ્યાં દરેક હનુમાન ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે. દાદા પણ દરેક ભક્તોની મનોકામના સાંભળી દરેક લોકોની ઈચ્છા પૂર્ણ કરે છે. દાદાના દ્વારા આવેલો કોઈ પણ ભક્ત નિરાશ થતો નથી.
થોડા સમય પહેલા જ કિંગ ઓફ સાળંગપુર નામે હનુમાનજીની ભવ્ય મૂર્તિ સાળંગપુરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે જે એક આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. હાલમાં તો સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શન કરવા માટે રાષ્ટ્રવાદી સામાજિક કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાની પહોંચ્યા હતા. જ્યાં તેમનું સાળંગપુર ટ્રસ્ટીગણ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને દાદા ના ચરણોમાં માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તથા પૂજા પાઠ કર્યા હતા.
કાજલ હિન્દુસ્તાની ભારતમાં રહેતા તમામ હિન્દુઓને જાગૃત કરવાનું કાર્ય કરે છે આ જ કારણથી તેમના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે કાજલ હિન્દુસ્તાની ને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. પરંતુ સાળંગપુર ટ્રસ્ટીગન તરફથી કાજલ હિન્દુસ્તાની માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ત્યારબાદ સાળંગપુર મંદિરના બાળ સંત દ્વારા કેસરિયો કેસ તથા હાર પહેરાવી સન્માન કર્યું હતું. તેમની સાથે સાથે સાળંગપુર ધામેથી પ્રસ્તુત થયેલી સુંદર કથા તથા હનુમાન હરસંકટ મે નામની બુક અર્પણ કરવામાં આવી હતી. તેમની સાથે સાથે કષ્ટભંજન દાદા ની મૂર્તિ તથા તલવાર પણ ભેટ આપવામાં આવી હતી.
કાજલ હિન્દુસ્તાનીએ ત્યાંના સાધુ સંતો તથા ટ્રસ્ટીગન નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. આબાદ તેમણે ત્યાંના ટ્રસ્ટી ટીમ સાથે ઘણી વાતચિતો પણ કરી હતી. કષ્ટભંજન સાળંગપુર હનુમાનજી મંદિરના પેજ દ્વારા આ તસવીરો શેર કરવામાં આવી છે જેમાં અનેક લોકોએ કોમેન્ટ દ્વારા જય શ્રી રામ તથા જય કષ્ટભંજન દેવના નારા લગાવ્યા હતા.