ફરી ગુજરાત પર મહેરબાન થશે મેઘરાજા, આ તારીખથી વરસાદની શક્યતા : અંબાલાલ પટેલની આગાહી

Posted by

વરસાદની અછતને કારણે આ વર્ષે જગતનાના તાતમાં ચિંતાનો માહોલ છે. કારણકે પાણીની કટોકટી સર્જાતા ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ત્યારે હવામાન નિષ્ંણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

25 ઓગસ્ટે રાજ્યમાં મેઘ મહેર 

હવામાન નિષ્ણાંત અંબાલાલના કહેવા પ્રમાણે 25 ઓગસ્ટે રાજ્યમાં વરસાદ પડશે તેવી શક્યતા છે. આ સમાચારને કારણે ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ  છવાઈ ગયો છે. કારણકે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા

પંચમહાલ, નર્મદા, ડાંગમાં પડશે વરસાદ  

28મી ઓગસ્ટે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તેમજ ડાંગમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે આ આગાહીને લઈને સિંચાઈના પાણી માટે વલખા મારી રહેલા ખેડૂતોમાં હવે આનંદ જોવા મળી રહ્યો છે. જોકે ખેડૂતો સિવાય સામાન્ય લોકો પણ છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે.

અબર સાગરમાં ભેજને લીધે વરસાદ પડશે 

અરબ સાગરમાં ભેજને લીધે વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું પાણી પાકો માટે સારુ નથી ગણાતું. જોકે બીજી તરફ 6 સપ્ટેમ્બરે બનાસકાંઠા વિસ્તારમાં પણ વરસાદની સંભવના સેવાઈ રહી છે. સાથેજ 6 સપ્ટેમ્બર બાદ પંચમહાલમાં પણ વરસાદની સંભવના સેવાઈ રહી છે. જેને લઈને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો.

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે 

ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાંતે અંબાલાલની આગાહી મુજબ આવતા મહિને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ પડશેજ સાથેજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જેથી તેને લઈને લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *