રાજસ્થાનના ચિત્તોડગઢ માં નહાવા પડેલા એક જ પરિવારના પાંચ બાળકોના મૃત્યુ થી પુરા પરિવાર માં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.
જાણકારી અનુસાર એક જ પરિવારના બાળકો ચિત્તોડગઢ માં આવેલા એક તળાવમાં રમત-રમતમાં નહાવા પડેલા ત્યારબાદ એ તળાવમાં એક સાથે દમ તોડતાં પુરા પરિવાર માં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.
ચિત્તોડગઢના એક તળાવમાં ન્હાવા પડેલા એક જ પરિવારના પાંચ બાળકોના ડૂબી જવાથી મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
તળાવમાં બાળકો ડૂબી ગયા હોવાના સમાચાર થોડીવારમાં જ સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગયા હતા અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ઉદયપુરના આઇજી હિંગલાજ દાને કહ્યું હતું કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. વહીવટી તંત્ર પરિવારને શક્ય તેટલી મદદ આપશે.