રામ નવમીના દિવસે બોલી નાખો આ સરળ મંત્ર ધનની કમી કયારેય નહીં થાય

વાહનો પર હંમેશા ભગવાન રામનો એક મંત્ર લખેલો જોવા મળતો હોય છે. આ મંત્ર વાહનો પર યાત્રા કરતી વખતે તમારી સુરક્ષાની ગેરન્ટી આપે છે. જ્યારે પણ ઘરેથી બહાર જાઓ, આ મંત્રનો જાપ કરૂર કરવો, કેમ કે આ મંત્રનો જાપ કરવાથી તમારા તમામ કામ સફળ નીવળશે.જોરદાર છે સેમસંગનો આ સ્માર્ટફોન, કિંમત પણ છે તમારા ખિસ્સાને પરવડે તેવી
મંત્ર
પ્રબિસિ નગરકીજે સબ કાજા ।હ્રદયઁ રાખિ કોસલપુર રાજા ।।
મંત્રનો અર્થ
આ મંત્રનો અર્થ થાય છે કે અયોધ્યાપુરીના રાજા શ્રી રઘુનાથજીને હ્રદયમાં રાખીને નગરમાં પ્રવેશ કરી તમામ કામ કરો. આવું કરવાથી ઝેર પણ અમૃત થઇ જશે, શત્રુ મિત્રતા કરવા લાગશે, સમુદ્ર ગાયના ઘાટ સમાન બની જાય છે, અગ્નિમાં શીતળતા આવી જાય છે. ભગવાન રામનો આ મંત્ર કોઇ સુરક્ષા કવચથી ઓછો નથી.
સમસ્યાઓ દૂર થશે
એટલું જ નહીં, જ્યારે તમે કોઇ વિશેષ કાર્ય માટે ક્યાંક જાઓ છો તો તમારા મનમાં એ શંકા ચોક્કસ રહે છે કે અમુક કાર્યમાં સફળતા મળશે કે નહીં. કાર્યમાં સફળતા મળવામાં કોઇ અડચણ તો નહીં આવે. આની શંકાના નિવારણ માટે તથા કાર્યમાં સફળતા મેળવવા માટે નીચે લખેલા મંત્રનો જાપ કરવો, આવું કરવાથી તમામ બાધાઓનો નાશ થાય છે અને કાર્યમાં ચોક્કસ સફળતા મળશે.
મંત્ર
રામ લક્ષ્મણૌ સીતા ચ સુગ્રીવોં હનુમાન કપિ ।પશ્ચૈતાન સ્મરતૌ નિત્યં મહાબાધા પ્રમુચ્યતે ।।
મંત્રનો જાપ કરો
જ્યારે પણ તમે કોઇ વિશેષ કાર્ય કરવા માટે ઘરથી બહાર નીકળો ત્યારે સૌથી પહેલાં ભગવાન શ્રીરામના ફોટા સમક્ષ મનમા જ આ મંત્રનો જાપ કરવો. જે બાદ ઘરેથી નીકળો ત્યારે તમારા કાર્યમાં કોઇ સમસ્યા આડે નહીં આવે અને કાર્યમાં સફળતા પણ મળશે.