નવરાત્રીમાં થયો ચમત્કાર – સાક્ષાત માં દુર્ગાએ લીધો જન્મ, હાથમાં મહેંદી લગાવેલી બાળકીનો જન્મ

નવરાત્રીમાં થયો ચમત્કાર – સાક્ષાત માં દુર્ગાએ લીધો જન્મ, હાથમાં મહેંદી લગાવેલી બાળકીનો જન્મ

મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં નવરાત્રિના પહેલા દિવસે જન્મેલી બાળકી ચર્ચાનો વિષય બની રહે છે. લોકો બાળકીના જન્મને ચમત્કાર માની રહ્યા છે અને કેટલાક લોકો તેને ‘મા દુર્ગા’નું સ્વરૂપ કહી રહ્યા છે. જિલ્લાના રાહતગાંવ હેલ્થ સેન્ટરમાં શનિવારે સવારે જન્મેલી આ બાળકીને જોવા માટે લોકો દૂર-દૂરથી પહોંચી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પણ તેની ચર્ચા ઝડપથી થઈ રહી છે.

‘ચમત્કાર’ સાથે જન્મેલી બાળકી

નવરાત્રિના પહેલા દિવસે જન્મેલી આ છોકરીને ચમત્કાર માનવાનું કારણ એ છે કે બાળકીના જન્મથી જ તેના હાથ અને પગના અંગૂઠા પર મહેંદીના નિશાન છે. તેમને જોઈને એવું લાગે છે કે છોકરી પોતાની આંગળીઓ પર મહેંદી લગાવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાહતગાંવ હેલ્થ સેન્ટરમાં આ બાળકીનો જન્મ થતાં જ ડોક્ટરો પણ ચોંકી ગયા હતા.

જરૂરી તપાસ અને સંભાળ પછી, જ્યારે બાળકને માતા જુહી બિસ્વાસ અને પિતા સૌરભ બિસ્વાસ પાસે લાવવામાં આવ્યો, ત્યારે આરોગ્ય કેન્દ્રના સ્ટાફે તેમને બાળકના હાથ અને પગના અંગૂઠા પર મહેંદી વિશે જણાવ્યું. પછી શું ચર્ચા એટલી બધી ફેલાઈ કે જોત જોતામાં આજુબાજુના લોકો બાળકીને જોવા માટે આરોગ્ય કેન્દ્ર પર એકઠા થઈ ગયા. કેટલાક લોકો તેને ચમત્કાર કહી રહ્યા છે તો કેટલાક બાળકીને માતા દુર્ગાનું રૂપ કહી રહ્યા છે.

ડોકટરો શું કહે છે

લોકો તેને એક ચમત્કાર ગણાવી રહ્યા છે ત્યારે નિષ્ણાત તબીબોનું કહેવું છે કે મેડિકલ સાયન્સમાં આવું થવું સામાન્ય છે. નવજાત શિશુની આંગળીઓ અને અંગૂઠામાં મહેંદીના નિશાન દેખાવાનું કારણ એ છે કે તે સમય પહેલા જન્મે છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે આ નિશાનો થોડા દિવસોમાં પોતાની મેળે ગાયબ થઈ જાય છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *