શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે મધ્યાહન ભોજન યોજનામાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
સંસ્થાનું નામ | મધ્યાહન ભોજન યોજના |
પોસ્ટનું નામ | સુપરવાઈઝર |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 14 જૂન 2023 |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 14 જૂન 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 26 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://mdm.gujarat.gov.in/ |
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતીની નોટિફિકેશન પીએમ પોષણ યોજના ઘ્વારા 14 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 14 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 જૂન 2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સુપરવાઈઝરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
પસંદગી પ્રક્રિયા:
પીએમ પોષણ યોજના અંતર્ગત ઉમેદવારની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ મેરીટ ના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ઇન્ટરવ્યૂ અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ પસંદગી કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.
પગારધોરણ
મધ્યાહન ભોજન યોજનાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 15,000 ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે.
કુલ ખાલી જગ્યા:
પી.એમ પોષણ યોજના અંતર્ગત તાલુકા કક્ષાએ સુપરવાઈઝરની કુલ 10 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત:
મિત્રો, આ ભરતીની જાહેરાતમાં શેક્ષણિક તથા અન્ય લાયકાત ની કોઈ માહિતી આપવામાં આવી નથી જેથી લાયકાત સંબંધી તમામ માહિતી તમે સંસ્થાનો સંપર્ક કરી ને મેળવી શકો છો.
જરૂરી ડોક્યુમેન્ટ:
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- 2 ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના, જિલ્લા સેવા સદન, રૂમ નંબર 31, સુરેન્દ્રનગર ખાતેથી મેળવવાનું રહેશે.
- આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.