કિન્નરો શા માટે તાળીઓ પાડે છે ? શું છે તેની પાછળનું સાચું કારણ અને તેઓ શા માટે બીમાર નથી પડતા ?

Posted by

અવાર-નવાર લગ્ન અને શુભ પ્રસંગોમાં કિન્નરો આવી પહોંચે છે અને તાળીઓ વગાડીને દુઆ આપે છે. તેઓ એક ખાસ અંદાજમાં તાળી વગાડે છે, જે અન્ય પ્રસંગો પર વાગતી તાળીઓથી એકદમ જ અલગ હોય છે. કિન્નરો મતલબ વગર કાળીયો નથી વગાડતા. તેમનો તાળી વગાડવાનો આ ખાસ અંદાજ તેમની પહેચાન હોય છે. તેમના દ્વારા વગાડવામાં આવતી તાળીઓનો ખાસ મતલબ પણ હોય છે. તો ચાલો આજે જાણીએ કે કિન્નર દ્વારા વગાડવામાં આવતી આ તાળીઓનો શું મતલબ હોય છે.

તાળીઓના ખાસ અવાજ અને વગાડવાના અંદાજથી કિન્નર એકબીજાની ઓળખાણ કરી લે છે. મોટાભાગે કિન્નર સ્ત્રીઓના કપડાં હોય છે પરંતુ ઘણીવાર તેઓ પુરુષો ના પોશાક માં પણ જોવા મળે છે. તેવામાં તેમણે પોતાના સમુદાયના લોકો સાથે હળવા-મળવા માટે તેમને તાળી વગાડી ને પોતે “અસલી” હોવાની સાબિતી આપવાની હોય છે.

આમ તો લગ્ન અને પ્રસંગોમાં અચાનક જ તેઓ ઘર પર આવી પહોંચે છે અને તાળીઓ વગાડીને ખુશી જાહેર કરે છે. પરંતુ પોતાના સમુદાયમાં તેઓ તાળી વગાડી ને પોતાને ભાવનાઓ અને લાગણીઓ દર્શાવે છે. ગુસ્સો થવા સમય તથા ખુશીના સમયમાં વાત કરતા સમયે તાળી વગાડતા જાય છે.

કિન્નરો ની તાળી વગાડવાની પોતાની એક રીત હોય છે. સામાન્ય થાળીમાં બંને હાથ ઊભા અથવા આડા હોય છે તથા આંગળીઓ અરસ-પરસ જોડાયેલી હોય છે. વળી જ્યારે કિન્નર તાળી વગાડે છે ત્યારે એક હાથ ઊભો અને એક હાથ આડો અરસપરસ જોડાય છે તથા આંગળીઓ એકબીજાથી દૂર રહે છે. આ પ્રકારની તાળીથી અલગ અવાજ નીકળે છે જે ખૂબ જ ઊંચો હોય છે.

થોડા સમય પહેલા સમાજવાદી પાર્ટીના નેતા વિશ્વંભર પ્રસાદ નિષાદ નું એક નિવેદન ખુબ જ વિવાદોમાં રહેલ હતું. તેમણે કહ્યું હતું કે કિન્નર ક્યારે પણ બીમાર પડતા નથી કારણ કે તેઓ તાળીઓ વગાડે છે. મેષ ક્યારેય પણ કોઇ કિન્નરને ઈલાજ માટે હોસ્પિટલ જતા નથી જોયાં. તાળી તેમના માટે એક્યુપ્રેશર થેરાપી છે જે અન્ય લોકોએ પણ અપનાવી જોઇએ.

કિન્નર સમુદાયમાં ઘણી એવી વાતો છે જે અન્ય લોકોથી અલગ છે. કિન્નર સમુદાયમાં સામેલ થવા માટે ઘણા રિવાજ હોય છે. નવા કિન્નરને શારીરિક અને માનસિક અવસ્થા ની તપાસ કરી ને નક્કી કરવામાં આવે છે કે તે પૂર્ણ રીતે તૈયાર છે. ત્યારબાદ તેના સામેલ થવા પર ભોજન તથા નાચ ગાન રાખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *