કોઈપણ મંદીર માં લખી દો આ સંખ્યા, કરોડપતિ માં નામ ના આવે તો કેજો, ખુદ કરોડપતિઓ નું કેવું છે આ સત્ય.

આપણે ભગવાન ના આગળ દરરોજ અલગ-અલગ ઇચ્છાઓ કહેતા હોઈએ છીએ. ભગવાનના મંદિરમાં જઈને પૂજા આરાધના ઓ કરીએ છીએ. પૂજાપાઠ પણ કરીએ છીએ. અને ત્યાં જઈને દક્ષિણા પણ આપીએ છીએ પરંતુ આ બધું જ કરવા છતાં પણ આપણી મનોકામનાઓ પૂર્ણ થતી નથી.
મિત્રો ભગવાન આગળ મનોકામના કહેતા આપણે કહીએ છીએ કે મનોકામના જરૂર પૂર્ણ થશે તો હું આ કાર્ય કરીશ અને આ ચડાવીશ. અને ચાલીને જવાની પણ બાધાઓ લઈએ છીએ. મિત્રો આજે આ લેખમાં અમે તમને એક એવો ઉપાય બતાવીશું જેથી તમારે આ બધું ન કરવું પડે.
જે લોકોની નોકરી નથી કામ મળી રહેતું નથી તેવા લોકોને સામેથી નોકરી અને કામ મળી રહેશે. અને તેવા લોકો પણ સમૃદ્ધ બની શકશે તેમના જીવનમાં ધન આવવા લાગશે ગરીબી દૂર થશે. લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવી રહી હોય તો પતિ- પત્નિ વચ્ચે સંબંધો સારા ન હોય અથવા તો લગ્ન ન થઈ રહ્યાં હોય તો પણ લગ્ન થવાના યોગ બને છે.
સૌ પ્રથમ આપણે વાત કરીશું મંદિરની તો મંદિરમાં શાંતિનું વાતાવરણ હોય છે. મંદિરમાં મન એકદમ શુદ્ધ થઈ જાય છે અને પ્રસન્ન રહે છે. મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ મંદિરે જવાનું છે તમે કોઈપણ ભગવાનના મંદિરે જઈ શકો છો.
આ ઉપાય કરવા માટે તમારે મંદિર જતા થોડીક હળદર લેવાની છે. હળદરમાં થોડું ગંગાજળ ઉમેરીને તેને મિક્સ કરીને લેવાની છે. અને સાથે એક સફેદ રૂમાલ પણ લેવાનો છે.મિત્રો તમારા જમણા હાથની અનામિકા આંગળી છે તેનાથી આ ઉપાય કરવાનો રહેશે.
મંદિર જઈને મંદિરની દિવાલ ઉપર તમારે 64 નો આંકડો લખવાનો છે. મિત્રો જો કોઇ પણ મંદિરમાં આંકડો લખવાના દે તો એક સફેદ રૂમાલ અથવા તો સફેદ કાપડ માં આ આંકડો લખીને મંદિરમાં ભગવાનની આગળ પણ કરી દેવાનું છે.
ત્યાર પછી એક ગાયના ઘીનો દીવો કરવાનો છે. ત્યાર પછી ભગવાનને પ્રાર્થના કરવાની છે તમારી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય. મિત્રો 64 નું આંકડો લખવાથી તમારી ૬૪ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને તેની સાથે સાથે તમારે 11 અગરબત્તી પણ કરવી જોઈએ અને મંદિરની ફરતે પ્રદક્ષિણા પણ કરવી જોઈએ.