7 સપ્ટેમ્બર જન્માષ્ટમી ના દિવસે બન્યો સંયોગ આ 5 રાશિઓ બનશે અબજોપતિ ||

Posted by

હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન કૃષ્ણ મથુરામાં અવતરિત થયા હતા. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દેશના ખૂણા ખૂણામાં ધૂમ ધામથી ઉજવવામાં આવે છે. જયારે આ પર્વ દર વર્ષે શ્રાવણની અષ્ટમીના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 6 સપ્ટેમ્બરના રોજ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે. દેવઘરના જ્યોતિષ પંડિત નંદ કિશોર મુદ્દલ અનુસાર, આ વર્ષે જન્માષ્ટમી પર 30 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આની અસર રાશિઓ પર જોવા મળશે.

દેવઘરના પ્રખ્યાત જ્યોતિષી પંડિત નંદ કિશોર મુદગલે લોકલ18 ને જણાવ્યું કે જન્માષ્ટમી 6 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. આ વખતે એવો સંયોગ બની રહ્યો છે કે બુધવાર, અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિમાં જન્માષ્ટમી ઉજવાશે. આ સંયોગ 30 વર્ષ પછી બની રહ્યો છે. આ સંયોગમાં ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થયો હતો. આ સંયોગના કારણે વૃષભ, કર્ક, સિંહ અને કુંભ રાશિના જાતકો પર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા વરસવા જઈ રહી છે.

વૃષભ: આ રાશિના જાતકો પર લાડુ ગોપાલના વિશેષ આશીર્વાદ વરસવાના છે. મહેનતથી કરેલા દરેક કામમાં તમને સફળતા મળશે. આ દિવસે ભાગ્ય તમારો સાથ આપશે. વેપાર કરતા લોકો માટે આર્થિક લાભ થવાની સંભાવના છે. લગ્નજીવન સુખી થશે. વૃષભ રાશિના લોકો સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરશે.

કર્કઃ આ રાશિના લોકો પર જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થવાની છે. જાતકોને અચાનક આર્થિક લાભ થશે. ધંધામાં પણ ધન અને લાભ થઇ શકે છે. ભગવાન કૃષ્ણ તમારી મનોકામના પૂર્ણ કરશે. વિચારેલા કામ સફળ થશે. જો તમે પ્રેમ સંબંધમાં છો તો લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. પ્રિયજનો સાથે સમય વિતાવવાનો મોકો મળશે. કેટલીક કિંમતી વસ્તુઓ ખરીદી શકો છો.

સિંહ: જન્માષ્ટમીનો દિવસ આ રાશિના લોકો માટે ખૂબ જ સકારાત્મક રહેવાનો છે. સિંહ રાશિના લોકો પર રાધા રાનીની કૃપા વરસવાની છે. કરિયર અને બિઝનેસમાં તમને સફળતા મળશે. જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. પરિવારના સભ્યોના સહયોગથી કોઈ મોટું કામ પૂર્ણ થઈ શકે છે. શત્રુઓ તમારાથી પરાજિત થવાના છે. વિવાહિત જીવન સુખમય રહેશે.

કુંભ: જન્માષ્ટમીનો તહેવાર આ રાશિના લોકો માટે ખૂબ જ સકારાત્મક રહેવાનો છે. પારિવારિક જીવન સુખદ રહેશે. જે પણ સમસ્યા ચાલી રહી છે, તેમાંથી મુક્તિ મળી જશે. જમીન, મકાન વગેરે ખરીદવા માટે સાનુકૂળ સમય છે. સ્વાસ્થ્ય સારું રહેશે. જો તમે બિઝનેસમાં રોકાણ કરવા માંગો છો, તો જન્માષ્ટમીનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *