ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલની મોટી આગાહી, જુઓ આજે ક્યાં-ક્યાં પડ્યો વરસાદ

Posted by

ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે, અનેક જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે, ત્યારે નદીનાળા, ચેકડેમમાં નવા નીરે આવ્યા છે, જૂલાઈ મહિના બાદ વરસાદ પાછો ખેંચાતા વરસાદની કાગડોળે રાહો જોવાતી હતી, અને ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા હતા ત્યારે વેસ્ટન સિસ્ટમ સક્રિય થતા હવે ગુજરાતમાં વરસાદી માહોલ જોમ્યો છે, હવામાન વિભાગે પણ આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની લઈને મોટી આગાહી કરી છે.

ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ રહેશે: અંબાલાલ પટેલ

હવામાન વિભાગની આગાહી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે  આગામી 11 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડશે, તેમજ 16 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર બાદ ગરમી પડશે સાથે જ અંબાલાલ પટેલ વધુમાં જણાવ્યું કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે તેમણે મધ્યપ્રદેશમાં પણ કેટલાક ભાગોમાં 5 અને 6 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે સાથે અંબાલાલ પટેલે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થશે તેવું પણ જણાવ્યું છે.

11 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડશે

મહત્વનું છે કે ગઈ કાલે રાજ્યના 69 તાલુકાઓમાં મેઘરાજા મન મુકી વરસ્યા હતા જેમાં 12 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના તાલુકા પર નજર કરીએ તો માંગરોળમાં 7 ઈંચ, અંજાર, કલ્યાણપુર, માળિયામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 48.65 ટકા નોંધાયો છે. ગીર સોમનાથમાં ગઈકાલે મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે..ખેડૂતોનો ઉભો પાક ખાખ થવાના આરે હતો..તે પાકને નવજીવન મળ્યું છે…ઘણા લાંબા સમય બાદ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડ્યો હતો..આ વખતે પાક નિષ્ફળ
જશે અને દુષ્કારના ભણકારા હતા પરંતુ છેલ્લે છેલ્લે મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન અને અન્ય પાકોને નવજીવન મળ્યું છે.

16 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર વચ્ચે ભારે ગરમી પડશે

બનાસકાંઠામાં દોઢ મહિના બાદ વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે..ઘણા સમયથી પોતાના પાકને બચાવવા ખેડૂતો વરસાદની રાહ જોતા હતા અને આખરે મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી..ખેડૂતો સતત ચિંતામાં હતો કે આ વખતે પાક બગડશે અને વરસાદ ન આવવાના કારણે આગામી સિઝનના પાક પર પણ અસર થશે પરંતુ સમયસર વરસાદ આવી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બનાસકાંઠામાં 1 ઈંચથી લઈને 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો..વરસાદના કારણે બાજરી, મગફળીના પાકને નવજીવન મળ્યું છે.

મધ્યપ્રદેશના ભાગોમાં 5 અને 6 સપ્ટેમ્બરે ભારે વરસાદ

આ બાજુ સુરેન્દ્રનગરના જિલ્લામાં ચોટીલા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. ઝરીયા મહાદેવ મંદિરમાં ભારે વરસાદને પગલે ધોધ વહેતો થયો હતો અને ભોળાનાથને અભિષેક થતો હોય તેવો નજારો સામે આવ્યો હતો. લોકો કુદરતી સૌંદર્યનો નજારો જોવા ઉમટી પડ્યા હતા.

લાંબા વિરામ બાદ રાજ્યના અનેક વિસ્તારમાં સારો એવો વરસાદ થતા ડેમોમાં નવા નીરની આવક થઈ છે. પરંતુ ચિંતાજનક વાત એ છે કે, રાજ્યના 15 ડેમમાં ટીપુય પાણી નથી. જો કે અમરેલી જિલ્લાનો ધાતરવાડી ડેમ સંપૂર્ણપણે ભરાયો છે. આ ઉપરાંત આ જ વિસ્તારમાં ધાતરવાડી-2 ડેમમાં છલકાયો છે. જયારે તાપી જિલ્લામાં આવેલાં દોસવાડા ડેમ પણ સંપૂર્ણ ભરાયો છે.

7 સપ્ટેમ્બર ફરી સારો વરસાદ થવાની સંભાવના 

મહત્વનું છે કે હવામાન વિભાગે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે કે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ રહેશે. હજુ 7 સપ્ટેમ્બર ફરી સારો વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. જ્યારે આગામી 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે તેવું પણ જણાવાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *