મીઠું એક એવી વસ્તુ છે, જે દરેક લોકોનાં ઘરના રસોડામાં હોય છે પરંતુ તે માત્ર ભોજન બનાવવાનાં કામમાં આવતું નથી. તેનાં ઘણા બીજા પણ ફાયદાઓ છે. જે આપણા આખા ઘરની સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલ છે અને હા તેના માટે તમારે મીઠું ખાવાની નહીં પરંતુ તેનાં અમુક આ રીતે ઉપયોગ કરવાની જરૂર હોય છે. ચપટી મીઠાનાં ફાયદાઓ પણ હોય શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે. હવે બની શકે છે કે તમને આ બધી અંધવિશ્વાસની વસ્તુઓ પણ લાગશે પરંતુ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ-સમૃદ્ધિ તથા અન્ય સમસ્યાઓ માટે મીઠા સાથે જોડાયેલા આ ઉપાયો જણાવવામાં આવ્યા છે.
ગરીબી દુર કરવા માટે
અઠવાડિયામાં એકવાર ગુરુવારનાં દિવસને છોડીને પોતુ લગાવતા સમયે પાણીમાં થોડું મીઠું ભેળવી દેવું જોઈએ. આ ઉપાય કરવાથી ઘરની બધી જ નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે.
પૈસા નો પ્રવાહ વધારવા માટે
ઘરમાં ધનનાં પ્રવાહને વધારવા માટે કાચનો ગ્લાસ લઈને તેમાં પાણી અને મીઠું ભેળવીને તેને ઘરનાં નૈઋત્ય ખુણામાં રાખી દો અને તેની પાછળ લાલ રંગનો એક બલ્બ ચાલું કરી દો. જ્યારે પણ પાણી સુકાય જાય તો તે ગ્લાસને સાફ કરીને ફરી મીઠું ભેળવીને ફરી પાણી ભરી દો.
ધન પ્રાપ્તિ અને બરકત હેતુ
મીઠા ને કાચનાં પાત્રમાં રાખો અને તેમાં ચાર-પાંચ લવિંગ નાખી દો. તેનાથી ઘરની આવક શરૂ થવા લાગશે અને ઘરમાં બરકત પણ થવા લાગશે. તેનાથી એક તરફ જ્યાં મીઠામાં સુગંધ રહે છે તો વળી આ ઉપાયથી પણ ધનની કમી થશે નહિ.
બાથરૂમ અને ટોયલેટ દોષમાંથી મુક્તિ
મીઠું દરેક પ્રકારની ગંદકીને હટાવવાનું રસાયણ છે. એક કાચની કટોરીમાં મીઠું ભરી દો અને આ કટોરીને બાથરૂમમાં રાખો. આ ઉપાયથી પણ નકારાત્મક ઉર્જા દુર થઈ જાય છે અને કાચનાં બાઉલમાં ક્રિસ્ટલ મીઠું ભરીને રાખી દો. ૧૫ દિવસ બાદ બદલી નાખો. પહેલા ટોયલેટનાં સિંકમાં નાખી દો. જો કોઈ કારણથી ટોઇલેટ ઉત્તર-પુર્વમાં હોય તો તેના દરવાજા પર રો-લાયનનો ફોટો પેસ્ટ કરી દો.
મીઠાથી વાસ્તુદોષ દુર કરો
મળતું વાસ્તુદોષ હોય તો તમે તેને બદલી શકતા નથી. મનમાં ભય, ચિંતા હોવાથી બંને હાથમાં મીઠું ભરીને થોડો સમય રાખીને વોશ બેસીનમાં નાખીને પાણીમાં વહાવી દો. મીઠું આમ-તેમ ફેંકવું નહિ.
નજર ઉતારવા માટે
જો તમને કે કોઈ બાળકને કોઈની નજર લાગી ગઈ છે તો ૭ વાર એક ચપટી મીઠું તેના પરથી ઉતારીને તેને વહેતા પાણીમાં વહેવી દો. નળ ખોલો અને તેને નળના વહેતા પાણીમાં નાખી દો. તેનાથી નજરદોષ દુર થઈ જશે. વ્યક્તિગત વિઘ્નો માટે એક મુઠ્ઠી પીસેલું મીઠું લઈને સાંજે પોતાના માથા પરથી ૩ વાર ઉતારી લો અને તેને દરવાજાની બહાર ફેકો. આવુ સતત ૩ દિવસ કરો. જો આરામ ના મળે તો મીઠા ને માથા ઉપરથી ઓવારીને શૌચાલયમાં નાખીને ફ્લશ ચલાવી દો. નિશ્ચિત રૂપથી લાભ મળશે.
શનિનાં ખરાબ પ્રભાવથી બચવા માટે
જો ભોજન કરતા સમયે તમને દાળ કે શાક વગેરેમાં મીઠું ઓછું લાગે તો ઉપરથી મીઠું ના નાખો. તેવામાં સંચળ અને મરચું ઓછું હોવા પર સંચળનો પ્રયોગ કરો. જો તમે એવું નહિ કરો તો તેનાથી શનિનો ખરાબ પ્રભાવ દુર થઈ જશે.
કુંડળીમાં ચંદ્ર અને મંગળ કમજોર હોય તો
જો કુંડળીમાં ચંદ્ર કમજોર છે તો સામાન્ય મીઠાનો ભોજનમાં ઉપયોગ ના કરો પરંતુ સિંધાલુન મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમે બીપીની સમસ્યાથી બચી શકશો.
મનને શાંત રાખવા માટે
જો તમારું મન અશાંત રહે છે, વિચારો આવતા રહે છે, કોઈ પ્રકારની ચિંતાથી ગ્રસ્ત રહો છો તો તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડતું જાય છે. મીઠા ભેળવેલા જળથી સ્નાન કરો, તેનાથી શરીર તો શુદ્ધ થશે જ સાથે-સાથે તમારા મનને પણ શાંતિ મળશે.
ઘરના લડાઈ-ઝઘડાથી બચવા માટે
જો પતિ અને પત્નિમાં કોઈપણ વાતને લઇને મતભેદ કે ગૃહકલેશ છે કે કોઈપણ પ્રકારની માનસિક અશાંતિ છે તો સિંધાલુન કે આખા મીઠા નો એક ટુકડો શયનકક્ષનાં એક ખુણામાં રાખી દો. તેનાથી નકારાત્મક ઉર્જા દુર થશે. આ ટુકડાને મહિના બાદ બદલી નાખો અને બીજો નવો ટુકડો રાખી દો.
રોગમાંથી મુક્તિ મેળવવા માટે
સુતા સમયે તમારા માથાની પુર્વ તરફ રાખો. તમારા બેડરુમમાં એક કટોરીમાં સિંધાલુન મીઠાના થોડા ટુકડા રાખી દો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. દરેક રોગ થી બચવા માટે સાધારણ મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેની જગ્યાએ સિંધાલુન મીઠાનો ઉપયોગ ભોજન દરમિયાન કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ લાંબી બિમારીથી ગ્રસ્ત છે તો તેના માથા પાસે કાચનાં એક વાસણમાં મીઠું રાખી દો. એક અઠવાડિયા બાદ તે મીઠાને બદલીને ફરી મીઠું રાખી દો. ધીરે ધીરે તે વ્યક્તિનાં સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે.