ઘરમાં આ જગ્યાએ રાખી દો એક મોરપીંછ 20 ગણો ધન વધી જશે || કુબેરનો ખજાનો આવશે તમારા ઘરમાં

Posted by

શ્રીકૃષ્ણના મુગટમાં મોરપીંછ

વિશ્વમાં દેખાવમાં આકર્ષક-સુંદર જે કંઇ છે, તેમાં મોરપીંછનો પણ સમાવેશ થાય છે. જે જગ્યાએ તે જોવા મળે, મન તરત જ ખેંચાઇ જાય છે. એનો આકાર, રંગ અને એની નાજુકતા આપણને ગમી જાય છે. પળભર માટે એને હાથમાં પકડીને એની કુમાશ માણવાનું મન થઇ આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના મુગટમાં મોરપીંછ હોય છે. ઇન્દ્ર દેવ મોરની પાંખના સિંહાસન પર બિરાજમાન છે.

પોઝિટિવ એનર્જીની પ્રાપ્ત થાય

પૌરાણિક કાળમાં ઋષિમુનિઓ મોરના પીંછાની કલમ બનાવીને મોટા-મોટા ગ્રંથો લખતા હતા. મોરપીંછની ઉપયોગિતાના આ તો થોડાં ઉદાહરણ છે. પણ આપણાં શાસ્ત્રો, ગ્રંથો, વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રોમાં મોરપીંછને આગવું સ્થાન આપવામાં આવ્યું છે. ઘણે ઠેકાણે મોરપીંછનો ઉપયોગ ભગવાનની પૂજા તેમજ પૂજાસ્થળ-નિજમંદિરમાં સાફસૂફી માટે પણ થતો હોય છે. પૂજાસ્થાનમાં રખાયલાં મોરપીંછ સ્થાનની પવિત્રતા પણ વ્યક્ત કરે છે.પરંતુ આસ્થાઅને વાસ્તુશાસ્ત્રની તરાહ પર પોઝિટિવ એનર્જીની પ્રાપ્તિ અને સંવર્ધનની વાત આવે છે, તેમાં મોરપીંછનું આગવું મહત્વ રહેતું આવ્યું છે.

ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધમાં વધારો થાય

એક માન્યતા એવી પણ છે કે ઘરમાં મોરપીંછ ન રાખવું. પરંતુ મહદઅંશે મોરપીંછને ઘર કે ધંધા- રોજગારનાં સ્થળે રાખવાનું ઘણાને પસંદ હોય છે. મોરપીંછને ઘરમાં રાખવાનું કારણ ફક્ત ધાર્મિક જ નથી. મોરપીંછ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધમાં વધારો થાય છે એવી એક સમજદારી પણ પ્રવર્તે છે. તેને ઘરમાં એવા સ્થળે રાખવામાં આવે છે કે જ્યાં ચોખ્ખાઇ હોય અને જે સ્થળ સુરક્ષિત હોય. મોરપીંછને રાખવા માટેની એક સમજદારી પણ પ્રવર્તે છે.

નકારાત્મક શક્તિઓનો નાશ

મોરપીંછને ઘરમાં એવા સ્થાને રાખવું જોઈએ, જેથી તે સરળતાથી દેખાય, કારણ કે મોરપીંછ ઘરમાં નકારાત્મક શક્તિઓનો નાશ કરીને હકારાત્મક ઊર્જા એટલે પોઝિટિવ ઊર્જાનો સંચાર કરે છે. જો જીવનમાં અચાનક કષ્ટ કે વિપત્તિ આવી જાય, તો ઘર કે બેડરૂમમાં અગ્નિ ખૂણામાં મોરપીંછ મૂકવું જોઈએ. થોડા સમયમાં તમારા ઘરમાં અને જીવનમાં હકારાત્મક અસર દેખાશે. સાથે સાથે ઘરના દક્ષિણ-પૂર્વ (અગ્નિ) ખૂણામાં મોરપીંછ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ વધવા લાગે છે. ભગવાનની પૂજાના રૂમમાં પણ મોરપીંછ રાખવામાં આવે છે.

ક્યારેય અમંગળ કે ખરાબ થતું નથી

ઘણીવાર મોરપીંછ એક સાથે વધુ સંખ્યામાં રાખવામાં આવે છે. ક્યારેક પીંછાની એકાદ બે સળી પણ ઘણા રાખતા હોય છે. ઘણા ભગવાનના પૂજાઘર પાસે મોરપીંછ રાખે છે, તો ઘણા ડ્રોઇંગ રૂમમાં કે પ્રવેશ દ્વારની નજીક પણ મોરપીંછ રાખે છે. ઘણા તેનો જમીન પર સ્પર્શ થાય એ રીતે રાખતા હોય છે તો ઘણા એને જમીનથી ઊંચાઇ પર રાખતા હોય છે. ઘણા પોતાના પર્સ પાકિટમાં પણ મોરપીંછ રાખે છે. એવું પણ કહેવાય છે કે જો વ્યક્તિ હંમેશા પોતાની પાસે મોરપીંછ રાખે, તો ક્યારેય તેનું અમંગળ કે ખરાબ થતું નથી.

વિદ્યા અને વિનય મળે

એવી એક માન્યતા પણ છે કેપોતાના ખિસ્સા કે ડાયરીમાં મોરપીંછ રાખવાથી રાહુ દોષની અસર પણ થતી નથી. મોરપીંછને આદરભેર માથા પર ચઢાવવાથી વિદ્યા અને વિનય મળે છે. સરસ્વતી માતાના ઉપાસક અને વિદ્યાર્થી પુસ્તકો વચ્ચે પણ મોરપીંછ રાખીને પણ લાભ મેળવી શકે છે.

ત્રણ મોરપીંછ લગાવવા

મોરપીંછ ઘરમાં હશે તો થશે આ જોરદાર ફાયદો. ઘરનો મુખ્ય દરવાજો વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત વિરુદ્ધ હોય તો તેના પર ત્રણ મોરપીંછ લગાવવામાં આવે છે. મોરપીંછની પાંખની નીચે ભગવાન ગણેશનું ચિત્ર કે નાની મૂર્તિ સ્થાપિત કરવાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે એવું પણ કહેવાય છે. મોરનો પ્રિય આહાર સાપ છે એટલે સાપ મોરથી ડરે છે. એટલે એક માન્યતા એવી પણ છે કે મોરપીંછ હોય ત્યાં સાપ આવતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *