ઘરમાં ક્યારેય પણ આ ૮ પ્રકારની ગણેશજી ની મુર્તિ લાવવી નહીં, પાછળથી રોવાનો વારો આવશે

Posted by

ગણેશ ચતુર્થી નો તહેવાર ખુબ જ ખાસ અને લોકો માટે ખુબ જ જરૂરી હોય છે. આ દિવસને ખુબ જ હર્ષોલ્લાસ ની સાથે ઉજવવામાં આવે છે. તેવામાં લોકો પોતાના ઘરમાં આ દિવસે ગણેશજીની સ્થાપના કરે છે અને ચતુર્થી થી લઈને ૧૦ દિવસનો ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. તેવામાં જો તમે પોતાના ઘરમાં ગણેશજીની મુર્તિ લેવા જઈ રહ્યા છો તો તમને અમુક વાતોની જાણ હોવી જોઈએ કે કયા પ્રકારની મુર્તિ ખરીદવી અને ત્યાં પ્રકારની મુર્તિ ન ખરીદવી જોઈએ. આજે અમારો આ લેખ એજ બાબતમાં છે. આજે અમે તમને પોતાના આ લેખના માધ્યમથી જણાવીશું કે તમારે કયા પ્રકારની મુર્તિ ખરીદવી જોઈએ.

આવી મુર્તિ ન ખરીદો

ગણેશજીની મુર્તિ ખરીદતા સમય સૌથી પહેલા તમારે તેમની ઉપર ધ્યાન આપવાનું છે. જણાવી દઈએ કે ગણેશજીની સુંઢ નું મહત્વ શાસ્ત્રોમાં પણ ખુબ જ જણાવવામાં આવે છે. તેમાં તમારે જોવાનું રહેશે કે ગણપતિજીની મુર્તિમાં તેમની સુંઢ કયા હાથ તરફ વળેલી છે. ધ્યાન રાખો કે તેમની સુંઢ ડાબા હાથ તરફ વળેલી હોવી જોઈએ. જમણી તરફ વળેલી સુંઢ તાંત્રિક સાધના માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

સફેદ આંકડાના મુળ અથવા માટીમાંથી બનેલ ગણેશજીની મુર્તિની પુજા કરવી શુભ માનવામાં આવે છે. તમે ઈચ્છો તો સોના, ચાંદી તથા ત્રાંબામાંથી બનેલી મુર્તિની પુજા પણ કરી શકો છો. બેસેલા ગણપતિની પ્રતિમાનું પુજન તમારા માટે ફાયદાકારક હોય છે. તેવામાં મુર્તિ લેતા સમયે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

જો તમે પોતાના ઘરમાં ગણેશ ચતુર્થી પર ગણેશજીની પ્રતિમા લાવવા માંગો છો તો માટીના બનેલા ગણપતિ ખુબ જ શુભ હોય છે. પરંતુ ધ્યાન રાખો કે ક્યારે પણ કેમિકલ માંથી બનેલી ગણપતિજીની મુર્તિ સ્થાપિત કરવી જોઈએ નહીં. તે સિવાય તમે પોતાના ઘરમાં ધાતુમાંથી બનેલી ગણપતિજીની મુર્તિ પણ સ્થાપિત કરી શકો છો.

ગણપતિજી ઉભા હોય એવી મુર્તિ ક્યારેય પણ સ્થાપિત કરવી જોઈએ નહીં. તે અશુભ માનવામાં આવે છે તથા તેનાથી ઘરમાં કલેશનું વાતાવરણ રહે છે. ગણેશજીની મુર્તિ ખરીદતા સમયે ધ્યાન આપો કે ક્યારેય પણ ગણેશજીના વાહન ઉંદર તેમની મુર્તિ સાથે ઉપસ્થિત ન હોય એવી મુર્તિ ક્યારેય પણ ખરીદવી જોઈએ નહીં. મુર્તિ ખરીદતા સમયે ધ્યાન આપો કે ગણપતિજીના હાથમાં મોદક છે કે નહીં. જણાવી દઈએ કે મોદક વાળી ગણેશજીની મુર્તિ ઘરમાં સુખ સમૃદ્ધિ લઈને આવે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં ભગવાન ગણેશજીની બે થી વધારે પ્રતિમા રાખેલી છે તો તેને એક જ સ્થાન ઉપર ન રાખવી જોઈએ. ઘરના મુખ્ય દરવાજા ઉપર ગણેશજીની પ્રતિમા લગાવવાથી ઘરમાં સકારાત્મક આવે છે, પરંતુ ધ્યાન રાખો કે પ્રતિમાને એવી રીતે લગાવો કે ગણેશજીની પીઠ બહાર તરફ હોય.

ગણેશ ચતુર્થી પર જો તમે પોતાના ઘરમાં મુર્તિ સ્થાપિત કરવા માંગો છો તો તમારે ભુલથી પણ ગણેશજીની પ્રતિમાને લિવિંગ રૂમમાં સ્થાપિત કરવી જોઈએ નહીં અને સાથોસાથ સીડીઓની નીચેના સ્થાન ઉપર પણ ગણપતિજીની મુર્તિ ક્યારેય પણ સ્થાપિત કરવી જોઈએ નહીં. જો તમે પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના કરેલી છે તો નિયમિત રૂપથી ધુપ-દિવા અવશ્ય કરવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેનાથી ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *