દૂધ ગરમ કરતા સમયે ઉભરાઈને વાસણની બહાર પડી જય, તો સમજો કે…..?

Posted by

શુકન અને અશુભની માન્યતાઓ પ્રાચીન સમયથી પ્રચલિત છે. આજે પણ જો આવું કંઈક થાય. તો અમે કહીએ છીએ કે આતો શુકન બની ગયા . કોઈ  કામ કરતી વખતે કેટલીક નાની-નાની ઘટનાઓ ચોક્કસ બને છે. જો, આપણે આ ઘટનાઓને યોગ્ય રીતે સમજીએ, તો આપણે ભવિષ્યમાં થનારી બાબતોને સમજી શકીએ છીએ. એટલે કે ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે તે જાણી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઘટનાઓ ભવિષ્ય સાથે સંબંધિત છે.

વાસણ હાથમાંથી છૂટી જવું અથવા કાચ તૂટી જવો. અથવા દૂધ ઉભરાઈ જવું આજે હું તમને કહીશ કે, જો દૂધ ઉકળ્યા પછી બહાર આવે. તો તેનો અર્થ શું છે? કારણ કે, ઘણી વાર આ બાબત આપણી સાથે બનતી હોય છે. તો ચાલો જાણીએ કે શગુન અપશગુન શાસ્ત્ર તેના વિશે શું કહે છે.

 દૂધનું ઉભરાવું શું સૂચવે છે:

આવું તો આપણે ઘણી વાર જોયું હશે કે આપણે ઘરમાં ગેસ પર દૂધ ઉકાળવા માટે રાખીએ છીએ અને પછી બીજા કોઈ કામમાં તેને ભૂલી જઈએ છીએ. ઘણી વખત એવું પણ બને છે કે યોગ્ય સમયે ગેસ બંધ ન કરવાને કારણે દૂધ ઉકળે છે અને બહાર પડી જાય છે. ઘણા લોકો એવા છે જેઓ આ વાતને નાની ગણીને અવગણના કરે છે. અને એવા ઘણા લોકો છે જેઓ મૂંઝવણમાં આવી જાય છે કે દૂધ ઉભરાઈ જવાનો શું મતલબ હશે.

વાસ્તુશાસ્ત્ર:

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે તમારા ચંદ્રને મજબૂત કરવા માંગતા હોવ તો દરરોજ સવારે રસોડામાં દૂધ ઉકાળવું જોઈએ, પરંતુ જો આ દૂધ ઉકળીને વાસણમાંથી બહાર પડી જાય તો તેને અશુભ માનવામાં આવે છે. જ્યારે ઠંડુ દૂધ વાસણમાંથી પડે છે, ત્યારે તે ખરાબ શુકન છે.

જ્યોતિષ:

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રીતે દૂધ ઉભરાવાનુ નું ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. કેટલાક લોકોના મનમાં એક ગેરસમજ છે કે દૂધ ઉભરાવું એ ખરાબ શુકન છે. પરંતુ તમારી મૂંઝવણ દૂર કરતા જણાવી દઈએ કે જ્યારે ઠંડુ દૂધ ગ્લાસ કે વાસણમાંથી પડે છે ત્યારે જ દૂધનું પડવું અશુભ માનવામાં આવે છે.

જો ઉકળતું દૂધ બહાર નીકળી જાય, તો તે શુકન છે:

પરંતુ જ્યારે ઉકળતું દૂધ વાસણમાંથી બહાર પડે છે, ત્યારે તેનું છૂટવું એક મોટું શુકન માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જો દૂધ ઉકળ્યા પછી વાસણમાંથી બહાર આવે તો સમજી લેવું કે તમને કોઈ સારા સમાચાર મળવાના છે. આ સ્થિતિમાં, દૂધ બળવું જોઈએ નહીં અને તેને વાસણમાંથી ઉભરાવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *