એ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાંનો એક છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન માતાની પૂજા કરવાથી દેવી દુર્ગાની વિશેષ કૃપા થાય છે. એક વર્ષમાં કુલ 4 નવરાત્રિ આવે છે, જેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રિનું ઘણું મહત્વ છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રીનો તહેવાર 2જી એપ્રિલ 2022 થી 11મી એપ્રિલ 2022 સુધી ઉજવવામાં આવશે.
નવરાત્રિમાં શા માટે કરાય છે કળશ સ્થાપના-
ઘણા એવા લોકો છે જેમને કળશ સ્થાપના વિશે કોઈ ખ્યાલ નથી. તો અમે તમને જણાવી દઈએ કે કળશને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. દેવી દુર્ગાની પૂજા પહેલા કળશની પૂજા કરવામાં આવે છે. પૂજા સ્થાન પર કલશની સ્થાપના કરતા પહેલા તે સ્થાનને ગંગાજળથી સાફ કરવામાં આવે છે. પછી બધા દેવતાઓને આમંત્રણ આપવામાં આવે છે. કળશની સ્થાપના કર્યા પછી, ગણેશ અને મા દુર્ગાની આરતી કરવામાં આવે છે, ત્યારબાદ નવ દિવસના ઉપવાસ શરૂ થાય છે.
ચૈત્ર ઘટસ્થાપના શુભ મુહૂર્ત 2022
શનિવાર, 2 એપ્રિલ, 2022 ના રોજ ચૈત્ર ઘટસ્થાપન
ધન રાશિ
ધન રાશિના લોકો પર શુભ યોગની સારી અસર પડશે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. કૌટુંબિક આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવામાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેશે. કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સમસ્યાઓનું સમાધાન મળશે. નોકરી ના ક્ષેત્રમાં પ્રમોશન મળે તેવી સંભાવના છે. પ્રભાવશાળી લોકોનું માર્ગદર્શન પ્રાપ્ત થશે.
મેષ રાશી
આ રાશિના લોકો પર આ યોગની સારી અસર પડશે. તમને ધધામાં ઇચ્છિત પરિણામો મળશે. તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે. લાંબા સમયથી ચાલી રહેતો માનસિક તણાવ દૂર થઈ શકે છે. તમે ખૂબ આનંદ અનુભવશો. બાળપણના મિત્ર સાથે મૂલાકાત થઇ શકે છે. અચાનક ધન પ્રાપ્તિના યોગ દેખાઈ રહ્યા છે. વેપારનો વિસ્તાર થશે. તમને કોઈ મોટી સિદ્ધિ મળી શકે છે.
વૃષિક રાશી
આ રાશિના લોકોને શુભ યોગની પ્રબળ અસર જોવા મળશે. જીવનમાં પ્રગતિ પ્રાપ્ત થશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. આર્થિક નફો મળે તેવી શક્યતા છે. પરિવાર સાથે જે વિવાદ લાંબા સમયથી થઈ રહ્યો છે તેનું સમસ્યાનું સમાધાન નીકળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. લવ લાઇફ વધુ સારી રહેશે. પ્રેમ સંબંધો મધુરતા લાવશે. તમારા જીવનસાથીની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
તુલા રાશી
આ રાશિના લોકો તેમની ઊર્જાનો ખુબ જ ઉપયોગ કરી શકે છે. નોકરી ના ક્ષેત્રમાં પ્રમોશન મળશે. જો તમે ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરો છો, તો તમને નફો મળી શકે છે. સંબંધોમાં મીઠાશ આવશે. પ્રેમ જીવનમાં સુખદ લાગણી રહેશે. માતાપિતા સાથે માંગલીક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છે. તમે તમારી યોજનાઓને અંતિમ રૂપ આપી શકો છો. ઘરેલું સુવિધાઓ વધશે.