ચૈત્રી નવરાત્રી માં ભૂલથી પણ આ 5 કામ ન કરતા માં દુર્ગા ગુસ્સે થઈ જશે || ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવશે

ચૈત્રી નવરાત્રી માં ભૂલથી પણ આ 5 કામ ન કરતા માં દુર્ગા ગુસ્સે થઈ જશે || ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવશે

નવરાત્રીના આ પાવન પર્વમાં માતા દુર્ગાની પૂજા-અર્ચના કરી તેની પાસે સુખ-સમૃદ્ધિની કામના કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. આ નવ દિવસોમાં ભક્તો સંપૂર્ણ ભક્તિ-ભાવથી માતાની કૃપા મેળવવા માટે વ્રત-ઉપવાસ કરે છે. એવામાં વ્રત કરતી વખતે લોકોએ અમુક ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ.22 માર્ચથી શરૂ થશે ચૈત્રી નવરાત્રીનવ દિવસ ભૂલથી પણ ન કરો આ કામોનહીં તો નારાજ થઈ જશે માતાજી.

દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થાય છે. નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપના થાય છે અને તેના બાગમાં દુર્હાના નવ સ્વરૂપોની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે.આ વર્ષે ચૈત્ર નવરાત્રી 22 માર્ચથી 30 માર્ચ સુધી રહેશે. હિંદૂ ધર્મની માન્યતાઓ અનુસાર નવરાત્રીના આ પવિત્ર નવ દિવસોમાં ભૂલથી પણ 8 ભૂલો ન કરવી જોઈએ. અખંડ જ્યોત

જો નવરાત્રીમાં કળશ સ્થાપના કરી રહ્યા છો અથવા અખંડ જ્યોત પ્રજ્વલિત કરી રહ્યા છો તો આ દિવસે ઘરને ખાલી ન રાખો. સાથે જ માતારની ચોકીની પાસે પણ ઘરનું કોઈને કોઈ સદસ્ય જરૂર હોવું જોઈએ.

વાળ કે દાઢી કપાવવા : નવરાત્રીમાં નવ દિવસનું વ્રત રાખવા વ્યક્તિને દાઢી-મૂંછ અને વાળ ન કપાવવા જોઈએ. આ સમયે બાળકોનું મુંડન કરાવવું અશુભ હોય છે. એવું કરવાથી માતાજી નારાજ થઈ શકે છે.

ડુગળી-લસણ : નવરાત્રીમાં ડુંગળી અને લસણનો ઉપયોગ બિલકુલ ન કરો. તેને તામસિક ભોજનની શ્રેણીમાં ગણવામાં આવે છે. તેના માટે નવરાત્રીમાં તેનો પ્રયોગ ન કરો.

ન પહેરો કાળા કપડા : શુભ નવરાત્રીમાં કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ. આ સમયે કંઈ પણ સિવવાનું કામ જેવી કામ ન કરો. નવરાત્રીમાં સાફ-સફાઈનું ધ્યાન રાખવું જોઈએ.

દારૂ-માસનું સેવન : નવરાત્રી વખતે માંસ, માછલી અને દારૂનું સેવન ન કરો. ધાર્મિક માન્યતાઓ અનુસા આવું કરવું અશુભ માનવામાં આવે છે.

ચામડાની વસ્તુઓનો ઉપયોગ : નવરાત્રીનું વ્રત રાખતા લોકોને ચામડાના બેલ્ટ, ચંપલ-જૂતા, બેગ જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. મંદિરોમાં દર્શન પહેલા પણ આ વસ્તુઓને બહાર કાઢી નાખવી જોઈએ.

નખ કાપવા : આ સમયે નખ કાપવું પણ યોગ્ય માનવામાં આવતું નથી. આ સમયે નવરાત્રી શરૂ થતા પહેલા જ નખ કાપી લેવા જોઈએ.

અનાજ કે મીઠાનું સેવન :નવરાત્રીમાં ખાવામાં અનાજ અને મીઠાનું સેવન ન કરવું જોઈએ. ખાવામાં ફરાળી લોટની રોટલી, મોરૈયાનો ભાત, સિંઘોડાનો લોટ, સાબુદાણીની ખિચડી અને સેંધાલુણનો ઉપયોગ કરવો જોઈએ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *