99% ગૃહિણીઓ આ ભૂલો કરે છે,આટલી વસ્તુઓ ફ્રીઝમાં ન મુકવી,થશે અનેક રોગો

Posted by

આજકાલ ઘરમાં ફ્રીઝ હોવું એ અત્યંત જરુરી બાબત બની ગઈ છે. પણ શું તમે જાણો છો કે અમુક વસ્તુઓ એવી હોય છે જેને ફ્રીઝમાં ન મુકવી જોઈએ. અમુક વસ્તુઓને ફ્રીઝમાં મુકવાથી તેનો ટેસ્ટ તો બદલાઈ જ જાય છે સાથે તેના ન્યુટ્રિશન પણ ઓછા થઈ જાય છે.

ઘણાં લોકો બટાકા ફ્રીઝમાં મુકતા હોય છે. ફ્રીઝમાં બટાકા મુકવાથી તેમાં રહેલા સ્ટાર્ચ બ્રેક થઈ શકે છે અને તેને કારણે બટાકાનો સ્વાદ બગડી જાય છે. બટાકાને રુમ ટેમ્પરેચર પર એક ખુલ્લી બાસ્કેટમાં મુકવા જોઈએ.

જો તમારે ડુંગળી ફ્રીઝમાં મુકવી જ હોય તો રી-સીલેબલ(ઝિપ) બેગમાં મુકો અને પછી શાકભાજીના ખાનામાં મુકો. ડુંગળીને ફ્રીઝમાં મુકવાથી તે ફૂગવાળી અને પોચી થઈ જાય છે.

મોટાભાગના લોકો મધ ફ્રીઝમાં મુકતા હોય છો. વાસ્તવમાં ફ્રીઝને રુમ ટેમ્પરેચર પર રાખવું જોઈએ.

લસણને શુષ્ક જગ્યાએ મુકવાની સલાહ આપવામાં આવે છે. ફ્રીઝની ઠંડકને કારણે તેનો ફ્લેવર જતો રહે છે.

કોફીને એર-ટાઈટ ડબ્બામાં મુકવી જોઈએ. પાવડર હોય કે કોફી બીન્સ હોય, ફ્રીઝની ભીનાશ અને ભેજને કારણે તેનો ફ્લેવર જતો રહે છે.

બેકરી એક્સપર્ટ સલાહ આપે છે કે, બ્રેડને ફ્રીઝમાં ન મુકવી જોઈએ. ફ્રીઝમાં મુકશો તો બ્રેડ ડ્રાય થઈ જશે.

જો સફરજન રુમ ટેમ્પરેચર પર રાખશો તો તેની મીઠાશ અને રસ જળવાઈ રહેશે. ફ્રીઝમાં મુકવાથી તેમાં રહેલા પોષકતત્વોનો નાશ થઈ જાય છે. તેની છાલ પણ સુકાઈ જાય છે અને તે ટેસ્ટી અને જ્યુસી નથી રહેતા.

જો ટમેટાને ફ્રેશ અને જ્યુસી રાખવા હોય તે એક ઓપન કન્ટેનરમાં બારી પાસે મુકવાની સલાહ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *