તમારી બધી જ સમસ્યાઓ હંમેશા માટે દૂર થઈ જશે. આપને જ્યારે દુઃખી નિરાશ હતાશ હોઈએ છે ત્યારે ઈશ્વરની શરણમાં જઈએ છીએ. તો કેમ કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ભગવાન શ્રીકૃષ્ણ સાથે મન ફરીને ઉજવીએ. અને ભગવાનના આશીર્વાદથી બધી જ મનોકામના પૂર્ણ કરીએ. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કયા છ ઉપાય કરવા છે તમારું ભાગ્ય બદલી નાખશે.
સૌભાગ્ય વૃદ્ધિ માટે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને સફેદ મીઠાઈ અથવા તો તુલસીના પાનને ખીરમાં મૂકીને ભોગ ધરાવવો. માળા કરી લીધા પછી પોતે પ્રસાદ ગ્રહણ કરવો અને પરિવારને પણ આપવો.ધન વૃદ્ધિ માટે દક્ષિણાવર્તી શંખમાં ગાયનું દૂધ મૂકીને શ્રીકૃષ્ણ અને અભિષેક કરવો. અભિષેક કરતી વખતે ઓમ નમો ભગવતે ગોવિંદાય આ મંત્રનો જપ કરવાથી ધન સંબંધિત સમસ્યા સમાપ્ત થશે અને અતૂટ ધનની પ્રાપ્તિ થશે.
ભગવાન શ્રીકૃષ્ણ અથવા તો વિષ્ણુના મંદિરમાં જઈને તુલસીની માળાથી આ મંત્રની ૧૧ માળા કરી જપ કરવા. પછી પીળા વસ્ત્ર તથા તુલસીના પાન અર્પિત કરવી. મંત્ર આ પ્રકાર છે ક્લીં કૃષ્ણાય વસુદેવાય હરિ: પરમાત્મને પ્રણત: ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ
જન્માષ્ટમીના દિવસે સ્મશાનના કૂવામાંથી પાણી લાવીને કોઇ પીપળના વૃક્ષ પર ચઢાવવું. આ ઉપાય જન્માષ્ટમીના આરંભથી છ શનિવાર સુધી સતત કરવું.જન્માષ્ટમીના દિવસે આરંભથી લઈને 27 દિવસ સુધી સતત જટાવાળા નારિયેળ અને 11 બદામ શ્રીકૃષ્ણના મંદિરમાં ચઢાવવી અને ભગવાનને પોતાની મનોકામના કેવી. આ પ્રક્રિયા વચ્ચે અટકાવી ન જોઈએ. આવું કરવાથી તમારી મનોકામના જરૂર પૂરી થશે. આવુ કરવાથી અસંભવ કાર્ય પણ સંભવ બનશે
શુભ ફળ અને ભાગ્યવૃદ્ધિ માટે આ ઉપાય કરવા, શુભ ફળની પ્રાપ્તિ માટે જન્માષ્ટમીની રાત્રિએ પંચામૃતનો અભિષેક કરવો. જન્માષ્ટમીની રાત્રે 12:00 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો, તો જીવનમાં ક્યારે પણ ધનની કમી નહીં થાય. જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણની પૂજા સમયે તેમના ચરણોમાં થોડા પૈસા રાખવા. પૂજા પછી ને પોતાના પર્સમાં રાખી લેવા. તમારુ પર્સ ક્યારેય પણ ખાલી નહીં રહે.
જન્માષ્ટમીના દિવસે સાત કુંવારી બાળાઓને જમાડવી.તેમને શૃંગારની વસ્તુઓ ભેટ આપવી અને શ્રીકૃષ્ણ સમક્ષ પોતાની મનોકામના રાખવી. આમ કરવાથી જોબ અને બિઝનેસમાં વૃદ્ધિ થશે.
જન્માષ્ટમી ની શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ