30 ડિસેમ્બર મહા એકાદશી ઘરમાં હળદરથી સાથીયો બનાવી દો || સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે

Posted by

જ્યોતિષ અને વાસ્તુમાં સાથિયાને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તેના વિવિધ ફાયદા જણાવવામાં આવ્યા છે. વાસ્તુમાં અલગ અલગ રંગના સ્વસ્તિકનું વિશેષ મહત્વ છે.સામાન્ય રીતે સાથિયા લાલ રંગના જ થાય છે પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં સ્વસ્તિકના અમુક એવા રંગ પણ જણાવાયા છે જે તમારા જીવન સાથે જોડાયેલી અલગ અલગ સમસ્યાને દૂર કરી શકે છે. જાણો સાથિયો કરવાની સાચી રીત અને જુદા જુદા રંગના સાથિયાનું મહત્વ.સાથિયોઃ સાથિયો બનાવવા માટે ધન (+) ચિહ્ન બનાવીને તેની ચાર ભૂજાઓના ખૂણામાંથી સમકોણ બનાવતી રેખા જમણી બાજુ ખેંચવાથી સ્વસ્તિક બની જાય છે. આ કામ ઉપરની રેખાથી શરૂ કરવું જોઈએ.

સાથિયો દોર્યા પછી ચારેય ચોખંડામાં એક એક બિંદુ અંકિત કરી દેવું જોઈએ.કયા રંગથી બનાવવો? વધારે પ્રસંગોએ સાથિયો હળદરથી જ બનાવવામાં આવે છે.ઈશાન કે ઉત્તર દિશામાં દીવાલ પર પીળા રંગનો સ્વસ્તિક બનાવો તો તે ઘરમાં સુખ શાંતિ જાળવવામાં લાભકારી પુરવાર થાય છે. આ જ રીતે માંગલિક કાર્ય માટે લાલ રંગનો સાથિયો શુભ પુરવાર થાય છે. સામગ્રી તરીકે તમે કેસર, સિંદૂર, કંકુનો ઉપયોગ કરી શકો છો.

કાળો સ્વસ્તિકઃ કોલસાથી દોરેલો કાળો સ્વસ્તિક ખરાબ નજર અને ખરાબ સમયને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી અને અચૂક ઉપાય મનાય છે. તમારા ઘરના સભ્યો કે વ્યવસાયને કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો તેના ખરાબ પ્રભાવથી બચવા માટે ઘરના મુખ્ય દ્વાર પર એક સાથિયાનું ચિહ્ન કરવું જોઈએ.મુખ્ય દરવાજા પર કાળો સાથિયો દોરવાથી તમારા ઘરની કોઈપણ વ્યક્તિને ખરાબ નજર નહિ લાગે.લાલ સ્વસ્તિકઃ સામાન્ય રીતે આપણે ઘરના પ્રવેશ દ્વાર પર કંકુથી લાલ સાથિયો કરીએ છીએ. આ ચિહ્નને ખૂબ પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે. આ ચિહ્નને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે.

એવું મનાય છે કે આ ચિહ્ન દોરવાથી ઘરે તેનો શુભ પ્રભાવ પડે છે અને સુખ સમૃદ્ધિ આવે છે.રાત્રે ખરાબ સપના આવતા હોય તોઃ જો કોઈ વ્યક્તિને રાત્રે ખરાબ સપના આવતા હોય તો સૂતા પહેલા તર્જનીથી લાલ સ્વસ્તિકનું નિશાન દોરી લેવું જોઈએ.પછી ઊંઘવા જવું જોઈએ. આવું કરશો તો ઊંઘ સારી આવશે અ્ને ખરાબ સપના પણ નહિ આવે.અશુદ્ધ સ્થાન પર ન બનાવશો સ્વસ્તિકઃ સ્વસ્તિકનો ઉપયોગ પવિત્ર અને યોગ્ય રીતે ઉચિત સ્થાન પર થવો જોઈએ. શૌચાલય તથા ગંદા સ્થાનો પર ભૂલથીય તેનો ઉપયોગ ન કરવો જોઈએ. આવું કરનારાઓની બુદ્ધિ તથા વિવેક સમાપ્ત થઈ જાયદરિદ્રતા, તણાવ, રોગ અને ક્લેશમાં વધારો થાય છે.

એવું જોવા મળે છે કે નવા ઘરમાં લોકો પ્રવેશની પૂજા કરે તો આખા ઘરમાં સાથિયાના ચિહ્ન દોરી દે છે. આ યોગ્ય નથી. ફક્ત પવિત્ર જગ્યાઓએ જ સાથિયો કરો.સ્વસ્તિક શબ્દ સુ અને અસ્તિ આ બંન્ને શબ્દોથી મળીને બનેલો છે. સુનો અર્થ શુભ અને અસ્તિનો અર્થ થવું એટલે કે, જેનાથી શુભ કલ્યાણ થાય તે જ સ્વસ્તિક છે. હિન્દૂ ધર્મ પરંપરાઓમાં બધા જ માંગલિક કાર્ય, ધાર્મિક કાર્યા, પૂજા, ઉપાસના અથવા કોઇપણ કાર્યની શરૂઆત સ્વસ્તિકનું ચિન્હ બનાવીને કરવામાં આવે છે. સ્વસ્તિક દેવશક્તિઓ, શુભ અને મંગળ ભાવનું પ્રતીક માનવામાં આવે છે.

એવું કહેવમાં આવે છે કે

स्वस्ति न इन्द्रो वृद्धश्रवा: स्वस्ति न: पूषा विश्ववेदा:।
स्वस्तिनस्ता रक्षो अरिष्टनेमि: स्वस्ति नो बृहस्पर्तिदधातु।।

એવું માનવામાં આવે છે કે, આ મંત્રમાં ચાર વાર આવેલા સ્વસ્તિ શબ્દના સ્વરૂપમાં ચારવાર કલ્યાણ અને શુભની કામનાથી શ્રીગણેશની સાથે ઇન્દ્ર, ગરૂડ, પૂષા અને બૃહસ્પતિનું ધ્યાન અને આહવાન કરવામાં આવે છે.

આ મંગળ-પ્રતીકનું ગણેશની ઉપાસના, ધન, વૈભવ અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીની સાથે, ચોપડા પૂજનની પરંપરા વગેરેમાં વિશેષ સ્થાન છે. ચારેય દિશાઓના અધિપતિ દેવતાઓ, અગ્નિ, ઇન્દ્ર, વરૂણ અને સોમની પૂજા હેતુ તથા સપ્તઋષિઓના આશીર્વાદને મેળવવા માટે સ્વસ્તિક બનાવવામાં આવે છે. સ્વસ્તિક ચારેય દિશાઓ અને જીવન ચક્રનું પણ પ્રતીક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *