11 જૂન નિર્જળા એકાદશી l તુલસી ને બોલી દો આ 1 મંત્ર l આવશે પૈસા જ પૈસા l

Posted by

આ દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા અને વ્રત કરવાની પરંપરા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ તિથિએ ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની વિશેષ પૂજા કરવી જોઇએ. એકાદશીએ શ્રીહરિ સાથે તુલસીની પૂજા કરવાની પરંપરા છે. ભગવાન શ્રીકૃષ્ણને ભોગ ધરાવતી સમયે તુલસીના પાન પણ જરૂર તોડવા જોઇએ.

એકાદશીએ સાંજે તુલસી સામે દીવો પ્રગટાવી મંત્ર જાપ કરવો જોઇએ. સૂર્યાસ્ત બાદ તુલસીને જળ ચઢાવવું નહીં. સૂર્યાસ્ત બાદ તુલસી માતાને સ્પર્શ કરવા જોઇએ નહીં. તુલસી પૂજા કરતી સમયે તુલસી નામાષ્ટક મંત્રનો જાપ કરવો જોઇએ.

તુલસી નામાષ્ટક મંત્ર

वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।।एतनामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम। य: पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलभेत।।

મંત્ર જાપની સરળ વિધિ

સૂર્યાસ્ત બાદ સ્નાન કરો. ત્યાર બાદ તુલસીની પૂજા કરો. તુલસીને ગંધ, ફૂલ, લાલ વસ્ત્ર અર્પણ કરો. ફળનો ભોગ ધરાવો. ઘીનો દીવો પ્રગટાવો. તુલસી સામે બેસીને તુલસીની માળાથી આ મંત્રનો જાપ કરો. જાપની સંખ્યા 108 હોવી જોઇએ.

આ મંત્રનો જાપ પણ કરી શકાય છે

તુલસી પાસે બેસીને તુલસીની માળાથી તુલસી ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકાય છે. મંત્ર જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઇએ.ऊँ श्री तुलस्यै विद्महे। विष्णु प्रियायै धीमहि। तन्नो वृन्दा प्रचोदयात्।।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *