સવારે ઉઠીને કરો આ ચમ્કારિક મંત્ર જાપ, નસીબ બદલાઈ જશે, ધનવાન બની જશો,

Posted by

રોજ સવારે ઉઠીને 3 વાર કરવો જોઈએ આ ખાસ મંત્રનો જાપ, આ ચમત્કારી મંત્ર રોડપતિને બનાવે છે કરોડપતિ

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો તમે બધા જાણો જ છો કે આજના ભાગદોડ વાળા જમાનામાં દરેક વ્યક્તિ પૈસા કમાવાની રેસમાં દોડી રહ્યા છે. પણ દરેકના નસીબમાં પૈસા નથી હોતા. અમુક લોકોને વગર મહેનતે દરેક એશો આરામની વસ્તુ પ્રાપ્ત થઇ જાય છે, તો ઘણા લોકોને અથાગ પરિશ્રમ કરવા છતાં પણ ધનની તંગી દુર થતી નથી. આપણા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં સવારે ઉઠીને થોડા વિશેષ કામ કરવાની સલાહ આપવામાં આવી છે.

અને સવારે આ કામ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધી જળવાઈ રહે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે જો કોઈ માણસ સવારે ઉઠીને આ કામ સાચા મનથી પુરા કરે છે, તો તેના જીવનમાં ક્યારે પણ ધનની કમી નથી થતી અને માં લક્ષ્મીની કૃપા તેની ઉપર હંમેશા જળવાઈ રહે છે. વૈદિક શાસ્ત્રમાં એ વાત સ્પષ્ટ દર્શાવવામાં આવી છે કે આપણા આરામ કરવાના રૂમમાં કોઈ ને કોઈ ભગવાનના ફોટા જરૂર લગાવવા જોઈએ. એની પાછળનું કારણ એ છે કે જયારે પણ આપણે સવારે ઉઠીએ તો તે ફોટા આપણી આંખોની સામે આવે. અને આપણને સવારે સૌથી પહેલા ભગવાનના દર્શન થાય. તેથી આપણો આખો દિવસ આનંદમય રહેશે. એવું કરવું ઘણું શુભ માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે સવારે ઉઠીને હાથની હથેળીમાં જોવું પણ ઘણું શુભ માનવામાં આવે છે. આપણા ભારત દેશમાં એવી માન્યતા છે કે સવારે ઉઠીને હથેળી જોવાથી આપણા શુભ નસીબમાં વધારો થાય છે. એવું કહેવાય છે કે આમ કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેની સાથે જ તમારે એક મંત્રનું ઉચ્ચારણ કરવું ફાયદાકારક સિદ્ધ થશે. કેમ કે હથેળી જોતી વખતે આ મંત્રનો જાપ તમારા નસીબની કાયા પલટવાનું કામ કરી શકે છે. આ મંત્રના ઉચ્ચારણથી તમારો આખો દિવસ શુભ અને મંગળમય પસાર થશે. એટલા માટે તમે જયારે પણ સવારે ઉઠો તો સૌથી પહેલા પોતાની હથેળી જોઇને આ મંત્રનો જાપ જરૂર કરો.

कराग्रे वसते लक्ष्मिः करमध्ये सरस्वति ।

करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम् ॥

મંત્રનો અર્થ : ઉપર જણાવેલ મંત્રનો શાબ્દિક અર્થ એ થાય છે, કે હથેળીઓના આગળના ભાગમાં દેવી લક્ષ્મી, મધ્ય ભાગમાં વિદ્યાની દેવી સરસ્વતી અને મૂળ ભાગમાં બ્રહ્માજીનો વાસ હોય છે. એટલા માટે હું મારી હથેળીઓમાં તેમના દર્શન કરું છું.

ઉપર જણાવેલ મંત્રને મની મંત્રીનો પૈસા મંત્ર પણ કહેવામાં આવે છે, આ મંત્રનો જાપ કરવાથી આપણી આર્થિક સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. જો તમે પૈસાની તંગીને પૂરી કરવા માંગો છો કે પછી ધનની તંગીમાં સુધારો લાવવા માંગો છો અથવા તો ધનથી થતા નુકશાનથી બચવા માંગો છો, તો તમે આ મની મંત્રનો પ્રયોગ કરી શકો છો. આ મંત્રની અસર સમકાલીન સમાજના લોકોના જીવન ઉપર પડે છે. તમને જણાવી દઈએ કે આ મંત્રને ઘણા બધા લોકોએ ચમત્કારિક મંત્રનું નામ આપ્યું છે.

હવે તમને એ પણ જણાવી દઈએ કે સવારે આ મંત્રનો જાપ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કે તમારી નજર તમારી હથેળીઓ ઉપર જ ટકેલી રહેવી જોઈએ. મંત્રનો ત્રણ વખત ઉચ્ચારણ કરો અને ત્યાર પછી તમારી હથેળીઓને સ્પર્શ તમારા ચહેરા ઉપર કરો. આમ કરવાથી તમને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તમને મળશે અને તમારો આખો દિવસ શુભ રહેશે. સાથે જ આ મંત્રની શુભ અસરથી તમારી અંદરની સકારાત્મક ઉર્જામાં વધારો થશે.

હિંદુ ધર્મમાં માનવા વાળા ઘણા બધા લોકો આ રીતે રોજ સવારે આ મંત્રનો જાપ કરે છે, અને પ્રભુના આશીર્વાદ લે છે. જે આ મંત્રનો જાપ કરે છે તે મિત્રો ખાસ કોમેન્ટ કરી જણાવે કે તેઓ આ રીતે કેટલા વર્ષથી કરી રહ્યા છે, જેથી બીજાને પણ આ શ્લોક બોલવાની ટેવ પડે.

હિંદુ ધર્મમાં ગાયને દેવીનું રૂપ માનવામાં આવે છે. એવામાં જો તમે બુધ પુષ્પ યોગમાં 500 ગ્રામ ગાયના દૂધથી શ્રી ગણેશ અને લક્ષ્મી માતાની મૂર્તિની પૂજા કરો અને મંદિરમાં બુધવારે દૂધનું દાન કરો તો તમારી પાસે ધન જરૂર ટકવા લાગશે. એના સિવાય ધનની પ્રાપ્તિ માટે તમે શનિવારના દિવસે એક કાળો પથ્થર લઈને એને તલના તેલમાં ડુબાડીને પોતાની ઉપરથી અને પોતાની તિજોરી ઉપરથી 7 વાર ફેરવી લો (કોઈની નજર ઉતારીએ ત્યારે કરીએ એ રીતે). ત્યારબાદ આ પથ્થરને સળગતી અગ્નિમાં નાખી દો. અને જયારે આગ બુઝાય જાય પછી આ પથ્થર લઈને એને કુવામાં નાખી દો અને ત્યારે આ મંત્રનો જાપ કરો.

ॐ शन शनिश्चराय नमः

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *